આ સમસ્યા હોય ત્યારે બટાકા ખાવા જોઈએ નહીં, તમારી મુશ્કેલીઓ વધી શકે છે.

બટેકા એ લગભગ એવું શાક છે કે જે બધા જ શાકમાં ભળી જાય છે અને આપણાં દેશમાં સૌથી વધુ વપરાતું શાક બટાકા જ છે. આપણાં દેશના લગભગ બધા જ રસોડામાં બટેકાનો ઉપયોગ થતો જ હોય છે. બટેકા ટેસ્ટી હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. બટાકામાં રહેલ ગુણ સ્વાસ્થ્ય માટે બહુ ઉપયોગી છે પણ અમુક સમસ્યાઓમાં બટાકાને ક્યારેય વાપરવા જોઈએ નહીં. આમ કરવાથી બટાકાના સાઈડ ઇફેક્ટ થતાં હોય છે.

અમુક બીમારીમાં બટાકા ખાવા નુકશાનકારક પણ બની શકે છે. જે લોકો પોતાના વજનને લઈને વધારે જાગરૂક હોય છે અથવા જેમને પણ મેદસ્વિતાની સમસ્યા હોય છે તેમને બટાકાનું સેવન યોગ્ય પ્રમાણમાં કરવું જોઈએ એવી સલાહ આપવામાં આવે છે. આ સિવાય એવી ઘણી સ્વાસ્થ્ય સાથે જોડાયેલ પરિસ્થિતિ હોય છે જેમાં બટાકા ખાવાથી સાઈડ ઇફેક્ટ થઈ શકે છે.

1. એસિડિટીની સમસ્યામાં બટાકાનું સેવન નુકસાનકારક માનવામાં આવે છે. જો તમે નિયમિતપણે બટાકાનું સેવન કરો છો, તો તેના કારણે એસિડિટીની સમસ્યા વધુ વધી જશે. આ સિવાય બટાકાનું સેવન કરવાથી ગેસ બનવાની સમસ્યા પણ થઈ શકે છે. કેટલાક લોકોને બટાકાના વધુ પડતા સેવનથી પેટ ફૂલવાની સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે. તેથી એસિડિટીની સમસ્યામાં બટાકા ખાવાનું ટાળવું જોઈએ.

2. બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ બટાકાનું સેવન સંતુલિત માત્રામાં કરવું જોઈએ. ઘણા સંશોધનો અને અભ્યાસો પુષ્ટિ કરે છે કે જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે તેઓને બટાકા ખાવાથી જોખમ રહેલું છે. આ કારણે તમારું બ્લડ પ્રેશર વધી શકે છે.

3. શુગરના દર્દીએ બટાકાના સેવનથી બચવું જોઈએ. એવા લોકો કે જે ટાઈપ 2 ડાયાબિટીસ કે હાઇ બ્લડ શુગરથી પીડાય છે તેમણે બટાકાનું સેવન કરવાથી બચવું જોઈએ. બટાકા ગ્લાઈસેમિક ઇંડેક્સમાં હાઇ હોય છે અને તેના સેવનથી શરીરમાં બ્લડ શુગર એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. એવા લોકો કે જેમને હાઇ બ્લડ શુગર છે તેમણે પણ બટાકા ખાવા જોઈએ નહીં.

4. એક રિસર્ચ અનુસાર, આર્થરાઈટિસના દર્દીઓએ પણ બટાકાનું સેવન ટાળવું જોઈએ. આર્થરાઈટીસ અને આર્થરાઈટીસના દર્દીઓએ મર્યાદિત માત્રામાં બટાકાનું સેવન કરવું જોઈએ. જો તમે આર્થરાઈટિસના દર્દી છો તો ઓછા તેલમાં બનાવેલા બટાકાને છાલવાળી ખાવી જોઈએ. બટાકામાં હાજર કાર્બોહાઇડ્રેટ આર્થરાઈટિસના દર્દીઓની સમસ્યા વધારી શકે છે.

5. સ્થૂળતાની સમસ્યામાં બટાકાનું સેવન ખૂબ જ નુકસાનકારક છે. જે લોકો પહેલાથી જ વધારે વજન અથવા સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે તેમણે બટાકાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. બટાકામાં કાર્બોહાઇડ્રેટ વધુ માત્રામાં હોય છે, તેનું વધુ સેવન કરવાથી સ્થૂળતાનો ખતરો વધી જાય છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે આહારમાં બટાકાની માત્રાનું ધ્યાન રાખવું જોઈએ.

error: Content is protected !!
Exit mobile version