Monday, May 25, 2026

જલારામ ફૂડ હબ – Jalaram Food Hub

દેશી વાનગીઓ શીખો સરળ અને પરફેક્ટ રીતે, સાથે જાણો અવનવી જાણવા જેવી વાતો અને માહિતી.

Dharmik Sthalધર્મની વાત

મહાદેવના આ ધામમાં જઈને કરો મહામૃત્યુંજય મંત્રનો જાપ થશે ચમત્કાર.

આજે અમે તમને જે મહાદેવ મંદિર વિષે જણાવી રહ્યા છે તે પ્રાચીન મંદિર ;જાગેશ્વર ધામ’છે. આ દેવી ભૂમિના કમાઉ ક્ષેત્રની ખીણમાં આવેલ છે, આ ક્ષેત્રને મંદિરની નગરી પણ કહેવામાં આવે છે, આ આખા એરિયામાં એક નહીં પણ અઢળક મંદિર આવેલ છે. આ બધા મંદિરમાં શ્રદ્ધાળુએ ભારે સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે.

ભગવાન શિવજીનું જોગેશ્વર ધામ ખૂબ વિશેષ અને ચમત્કારિક છે તેના લીધે તે આખા વિશ્વમાં ખૂબ ફેમસ છે, આ ધામ વિષે એવું કહેવામાં આવે છે કે જે પણ જાતક અહિયાં આવીને મહામૃત્યુંજયના જાપ કરે છે તેમના જીવનની પરિસ્થિતિ સારી થઈ જાય છે. એવું કહેવાય છે કે મહાદેવના ભક્ત પર રહેલ મૃત્યુનું સંકટ પણ ટળી જતું હોય છે.

ભગવાન ભોલેનાથના આ મંદિરમાં હાજર જ્યોતિર્લિંગને 12 જ્યોતિર્લિંગમાંથી મુખ્ય જ્યોતિર્લિંગ માનવામાં આવે છે, મહાદેવના આ ધામની આસપાસ અનેક નાના-મોટા મંદિરો બનેલા છે, એવું કહેવાય છે કે મહાદેવ કૈલાશ માનસરોવરનું જાગેશ્વર ધામ મંદિર પ્રાચીન ભૂમિ પર આવેલું છે. યાત્રાનો માર્ગ, ભોલેનાથનું આ મંદિર તેની પ્રાચીનતા માટે પ્રખ્યાત છે, પરંતુ આ ઉપરાંત આ મંદિર તેના સ્થાપત્ય માટે પણ વિશ્વભરમાં જાણીતું છે,

આ મંદિરને ઉત્તરાખંડનું પાંચમું ધામ માનવામાં આવે છે, જો કે અહીં આખા વર્ષ દરમિયાન ભક્તોનો ધસારો રહે છે, પરંતુ દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવે છે, જે લગભગ 1 મહિના સુધી ચાલે છે. અને લોકો અહીં આવે છે. આ મેળામાં ભાગ લેવા માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ આ દરમિયાન ભક્તોની સૌથી વધુ ભીડ જોવા મળે છે.

આ મંદિર વિશે એવું કહેવાય છે કે દેવતાઓના દેવ મહાદેવે જાગેશ્વર ધામમાં જ તપસ્યા કરી હતી, આ મંદિર પ્રાચીન સ્થાપત્ય કલા માટે પ્રસિદ્ધ છે, જો તમે આ મંદિરની મુલાકાત લેવાનું વિચારતા હોવ તો તમારે શ્રાવણી મેળામાં જરૂર ફરવું જોઈએ. કારણ કે વાતાવરણ ખૂબ જ સુંદર હોય છે. આ સમય દરમિયાન અહીં જોવાલાયક દ્રશ્યો રહે છે, કહેવાય છે કે અહીં દર્શન કરવા આવનાર ભક્તની દરેક મનોકામના મહાદેવ પૂર્ણ કરે છે.

error: Content is protected !!
Exit mobile version