રાત્રે જો અચાનક આંખ ખૂલી જાય છે તો એ છે કોઈ દેવી શક્તિનો સંકેત.

3 થી 5 વાગ્યા દરમિયાન ઊંઘ ઉડી જાય છે? તો આ છે દિવ્ય શક્તિનો સંકેત.

શું હોય છે બ્રમ્હ મુહૂર્ત અથવા અમૃત વેળા. બ્રમ્હ મુહૂર્ત એ રાત્રી દરમિયાન અંતિમ પ્રહાર ગણવામાં આવે છે. જેને ત્રીજો ભાગ પણ કહેવાય છે. ધર્મ શાસ્ત્રમાં ઉઠવા માટે આ એકદમ યોગ્ય સમય ગણવામાં આવે છે. બ્રમ્હ એટલે કે પરમ તત્વ અને મુહૂર્ત એટલે કે અનુકૂળ સમય. બ્રમ્હ મુહૂર્તને અમૃત વેળા પણ કહેવામાં આવે છે. અમૃત એટલે કે જે જીવને અમરતા આપે છે. અને વેળાનો અર્થ તો આપણે બધા જાણીએ જ છીએ કે વેળા એટલે સમય.

આ સમય દરમિયાન કરવામાં આવેલ યોગાભ્યાસ એ આત્માને ખરેખરનો સાચો આનંદ આપે છે. આ આનંદ એવો હોય છે કે જે અમૃત પીવાના સમયે મળતો હોય છે. અમૃત વેળાએ ભગવાન જાતે તેમના ભક્તોને અમૃત પીવડાવવા આવતા હોય છે અને જેઓ આ અમૃત નથી મેળવતા તેમને પરમાનંદની પ્રાપ્તિ થતી નથી.

અમૃત વેળાના સમયે આકાશમાં આ સૃષ્ટિની પોઝિટિવિટી બહુ ઝડપથી પસાર થતી હોય છે. એ સમય બહુ જલ્દી પસાર થતો હોય છે કેમ કે એ સમયે નેગેટિવિટી સુઈ રહી હોય છે અને જયારે આ પોઝીટીવીટી એ પસાર થયા છે ત્યારે વાઈબ્રેશન થાય છે જેનાથી નેગેટિવિટી જાગી જાય છે.

રાત્રે 3 વાગે ઉઠવું જોઈએ કે નહિ?


આમ તો જો કે આ સવાલ જ ખોટો છે કેમ કે 3 થી 5 નો સમય બ્રમ્હ મુહૂર્ત છે. આ સમયે આપણું મન બિલકુલ શાંત હોય છે જે બહુ સરળતાથી એકાગ્ર બની શકે છે. અથવા તો તમે આ સમયે ધ્યાન ધરો છો તો તમે ભગવાન સાથે પણ જોડાઈ શકો છો અથવા તમારા સારા વિચારો તમે જીવનમાં કેવીરીતે ઉતારશો એ તમે સારી રીતે વિચારી શકો છો. એટલે જો તમને આ સમયે ઊંઘ ઉડી જતી હોય તો તમારે ભવિષ્યમાં શું કરવું છે અને તે કામ કેવીરીતે પાર પાડશો તેના વિચાર કરવા માટે આ એકદમ બેસ્ટ સમય છે.

હવે તમને થશે કે પોઝીટીવીટી એ આ સમયે જાગે છે તેનો શું અર્થ થાય? તો તમને જણાવી દઈએ કે 3 થી 5 દરમિયાન ભગવાનની દિવ્ય શક્તિઓ આકાશમાં વિચરણ કરી રહી હોય છે. જો તમે એ સમયે જાપ કરો છો અને ભગવાનનું ધ્યાન ધરો છો તો તમને ભગવાનની કૃપા બહુ સરળતાથી મળી જાય છે. રાત્રે 3 થી 5 વાગે ઊંઘ ઉડી જાય છે તો તેનો શું અર્થ છે એ હવે તમને જણાવી દઈએ. તમને જણાવી દઉં કે કુદરત અને તમારા ગુરુ ઈચ્છે છે કે તમે ઉઠી જાવ અને ભગવાનનું સ્મરણ કરો. આમ ઉઠી જશો તો ઘણીબધી શક્તિઓ તમારી રાહ જોઈ રહી છે. આ શક્તિઓ તમને મળવી જ જોઈએ એટલે માટે તમારી ઊંઘ રાત્રે 3 થી 5 માં ઉડી જાય છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે એ શક્તિ એ અમૃત પામવું છે કે નહિ?

પોઝીટીવીટી એ તમારા શરીરને સ્વસ્થ રાખશે અને તમારું જીવન ધન ધાન્ય અને સુખથી ભરપૂર રહેશે. જો તમે સવારમાં ઉઠીને પૂજા પાઠ કરો છો તો તમને તમારા શરીરમાં ઘણીબધી શક્તિઓ વાસ કરશે. આ બધી શક્તિઓ તમને સંકેત આપશે કે તમારું જીવન દિવ્ય શક્તિઓ સુધારવા જઈ રહી છે. જો તમે ઈચ્છો છો તો તમારે સવારમાં ઉઠવાનું રહેશે.

આ વિડિઓ ખાસ ચેક કરો અને જાણો શું કહે છે એ દેવી શક્તિઓ.

error: Content is protected !!