બ્રેકઅપ પછી રાજેશ ખન્નાએ પોતાના લગ્નની જાન કાઢી ગર્લફ્રેન્ડના ઘર સામેથી, અને પછી.

બૉલીવુડના પહેલા સુપર સ્ટાર એવા રાજેશ ખન્ના જેટલા તેમની ફિલ્મો માટે ફેમસ છે તેનાથી પણ વધુ તેઓ પોતાના પર્સનલ જીવનને લીધે ચર્ચામાં હતા. રાજેશ ખન્નાના અફેરના ઘણા કિસ્સાઓ પણ ખૂબ ચર્ચામાં રહેતા હતા. તેમની સાથે જોડાયેલ ઘણા કિસ્સાઓ આજે પણ બૉલીવુડમાં સાંભળવા મળે છે. રાજેશ ખન્ના પાછળ તેમના ઘણા બધા ચાલકો પાગલ હતા અને તેમની સાથે જોડાયેલ એક કહાની પણ ખૂબ ચર્ચામાં રહી હતી.

કહેવાય છે કે રાજેશ ખન્નાએ પોતાની ગર્લફ્રેન્ડના ઘરની સામે પોતાની જાન કાઢી હતી. રાજેશ ખન્નાની ફિમેલ ફેન ફોલોઈંગ ઘણી વધારે હતી. છોકરીઓ તેમને લોહીથી લખેલા પત્રો પણ મોકલતી. પરંતુ રાજેશ ખન્ના પોતાનું દિલ કોઈ બીજાને આપી રહ્યા હતા. હા… અભિનેત્રી અંજુ મહેન્દ્રુ સાથે રાજેશ ખન્નાનું અફેર. એવું કહેવાય છે કે રાજેશ ખન્નાનું આ પહેલું અફેર હતું.

રાજેશ ખન્નાએ અંજુને ખૂબ પ્રેમ કર્યો હતો, પણ તેમના સંબંધમાં તિરાડ પડી જાય છે. એ દરમિયાન બંને લિવ ઇનમાં રહેવાનું શરૂ કરે છે. અંજુ એક મોડેલ હતી અને અભિનેત્રી બનવા માટે તે ખૂબ ટ્રાય અને મહેનત કરી રહી હતી. જો કે ટીવી શો અને ફિલ્મોમાં સાઈડ રોલ તેમને ખૂબ મળે છે. 1969માં રાજેશ ખન્નાની ફિલ્મ ‘આરાધના’આવી અને તેમણે ખૂબ સફળતા મળી હતી. આ ફિલ્મથી તેઓ એક મોટા સ્ટાર બની જાય છે.

બીજી તરફ, તે હંમેશા અંજુને તેની સાથે જોવા માંગતા હતા. તેઓ ઈચ્છતા ન હતા કે અંજુ ફિલ્મોમાં કામ કરે. તે જ સમયે, અંજુનું સ્વપ્ન એક મોટી અભિનેત્રી બનવાનું હતું. સમાન મતભેદોને કારણે તેમના સંબંધોમાં તિરાડ પડી અને બંને વચ્ચે અંતર વધવા લાગ્યું. આ દરમિયાન રાજેશે અંજુને લગ્ન કરવાનું કહ્યું પરંતુ અંજુ મોટી અભિનેત્રી બનવા માંગતી હતી.

અંજુ રાજેશ સાથે લગ્ન કરવાનો ઇનકાર કરે છે. લગ્નની વાત ન સાંભળવાથી નારાજ રાજેશે ઉતાવળે પોતાનાથી 15 વર્ષ નાની ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા. રાજેશે અંજુને તેના લગ્નમાં આમંત્રણ આપ્યું ન હતું.

જ્યારે તેઓનાં લગ્ન થયાં, ત્યારે તેમની જાન એ જ રસ્તા પર નીકળે છે જ્યાં અંજુનું ઘર હતું. જાન એ ઘરની સામેથી જ નીકળે છે જેમાં એક સમયે રાજેશ અને અંજુ લિવ ઇનમાં રહેતા હતા. કહેવાય તો એવું પણ છે કે રાજેશ ખન્નાએ પોતાની જાન અડધો કલાક સુધી ત્યાં ઊભી રાખે છે જેથી તે પોતાની એક્સ ગર્લફ્રેન્ડને બાળી શકે.

error: Content is protected !!