પ્રીત ના કરિયો કોઈ – આવી ગઈ છે નવી નવલકથા.

આમ તો મેં નક્કી કરેલું કે દર વરસે કમ સે કમ એક નવી નવલકથા મારા વાચક મિત્રોને આપીશ જ આપીશ. અને તોય છેલ્લે ૨૦૨૧ માં “નિયતિ”ની બીજી આવૃત્તિ આવી પછી આખું ૨૦૨૨ ખાલી પસાર થઈ ગયું.

હકીકતે વર્ષ ૨૦૨૨ મારા જીવનનું એક ના ગમે એવું પ્રકરણ હતું. એક પછી એક અડચણો રોજ સામે આવી રહી હતી અને હું એટલી ડિસ્ટર્બ હતી કે મગજને જસ્ટ થોડું ફ્રેશ કરવા એક નવી નવલકથા લખવાનું ચાલું તો કરી દેતી પણ એને અંત સુધી પહોંચાડવાનું શક્ય નહોતું બની રહ્યું…🤦

But, as we all know રાત પછી દિવસ આવે જ છે! સમય બદલાયો, મનની બધી ચિંતા ઉપાધિ શ્રીહરિને સોંપી જાન્યુઆરી ૨૦૨૩માં રાત દિવસ જોયા વગર જ્યાં સમય ચોરી શકાયો મેં ચોરી લીધો અને એક સુંદર નવલકથાને એના અંત તક લખી નાંખી.

નવભારત સાહિત્ય મંદિરના રોનકભાઈ શાહનો એ દિવસોમાં જ કૉલ આવેલો કે નિયતિબેન નવી નવલકથા ક્યારે આપો છો અને મેં એમને મારી નવી લખાયેલી નવલ મોકલી આપેલી. ફેબ્રુઆરી માર્ચ એડિતિંગમાં ગયો. મે મહિનાની ચોથી તારીખે પાછો રોનકભાઈનો કૉલ આવેલો, કહે નિયતીબેન તમારી નવલકથા પુસ્તક રૂપે તૈયાર છે! 😱

હા, હું તમારા માટે એક નવી નવલકથા “પ્રીત ના કરિયો કોઈ” લઈને આવી ગઈ છું!!

મારી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જે મિત્રો, સખીઓ મારી સાથે રહ્યાં એમને બૌ બધું વહાલ…તમારો સપોર્ટ મારે કેટલો મહત્વનો છે એ હું શબ્દોમાં નહીં સમજાવી શકું પણ એટલું ચોક્કસ કહીશ કે તમે મારી લેખન યાત્રાના એ મજબૂત પીલ્લર છો જેના સપોર્ટ વગર મારું લેખક બનવાનું સપનું ક્યારેય પૂરું ના થઈ શક્યું હોત.

Love you all my READERS 😘🌹🌹🌹 મારી આ નવી નવલકથા ઓર્ડર કરવા તમે please, +919825032340 મોબાઈલ નંબર પર કૉલ કરજો. ટુંક સમયમાં જ એ એમેઝોન અને બીજા બુક સ્ટોલ્સ પર પણ ઉપલબ્ધ થઈ જશે. હું તમને એ વિશે જાણકારી આપતી રહીશ 🙏

નિયતી કાપડિયા (તેમના ફેસબુક પેજ પર જવા માટે અહિયાં ક્લિક કરો.)

error: Content is protected !!