આ શિવ મંદિરમાં ખીર ખાવાથી થાય છે સંતાન પ્રાપ્તિ, જાણો કયા આવેલ છે આ મંદિર.

સંતાન પ્રાપ્તિ માટેનું આ ચમત્કારિક મંદિર મધ્યપ્રદેશ જિલ્લામાં આવેલ છે. અહિયાં દરવર્ષે મહાશિવરાત્રીના તહેવાર પર લાખો લોકો આ મંદિરે આવતા હોય છે. તેમાંથી મોટા ભાગના લોકો ફક્ત સંતાન સુખ મેળવવા માટેની આશા લઈને જ અહિયાં આવે છે. આ મંદિરને વિરુપાક્ષ મહાદેવ અને ભૂલ ભુલાઇયાંવાળા શિવ મંદિર કહેવામાં આવે છે. આ મંદિર રતલામ શહેરથી લગભગ 30 કિલોમીટર દૂર છે.

ભક્તો આ મંદિરમાં આવે છે અને માથું નમાવે છે. તેઓ શિવને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે અને પછી પ્રસાદ તરીકે ખીર લે છે. જ્યારે તેને બાળક મળે છે, ત્યારે તે ફરીથી બાળક સાથે આ મંદિરમાં આવે છે અને શિવને નમન કરે છે. આ મંદિર ભક્તોની આસ્થાનું મોટું કેન્દ્ર છે.

જો તમારે આ મંદિર વિશે જાણવું હોય તો સૌથી પહેલા તમારે મધ્યપ્રદેશના રતલામ શહેરમાં જવું પડશે. પછી મહુ-નીમચ ફોરલેન પર રતલામથી 30 કિમી દૂર બિલપંક ગામમાં આવવું પડશે. વિરુપક્ષ મહાદેવનું આ પ્રાચીન મંદિર મુખ્ય માર્ગથી પૂર્વ દિશામાં લગભગ 2 કિમી દૂર આવેલું છે. દર વર્ષે મહાશિવરાત્રી પર અહીં મેળો પણ ભરાય છે.

કહેવાય છે કે આ મંદિરથી ક્યારેય કોઈ ખાલી હાથે પાછું નથી ગયું. આ મંદિરે મહાશિવરાત્રીના દિવસે હવન થાય છે. એ પછી ખીરની પ્રસાદ વહેંચવામાં આવે છે. માન્યતા છે કે આ ખીરના પ્રસાદને ગ્રહણ કરવાવાળી મહિલા કે જેને સંતાન નથી થતાં તેમને સંતાન સુખ મળે છે.

ગુજરાતના ચાલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહે સંવત 1196માં આ મંદિરનો શિલાલેખ મૂક્યો હતો. તેમણે જ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ મંદિર ગુર્જરા ચાલુક્ય શૈલી (પરમાર કલાના સમકાલીન)નું સુંદર ઉદાહરણ છે. આ મંદિરમાં સ્તંભ અને હસ્તકલાની સુંદરતાની ઝલક જોવા મળે છે.

મંદિરમાં, તમે મૂર્તિમાં રૂપમાં ચામુંડા, હરિહર, વિષ્ણુ, શિવ, ગણપતિ પાર્વતી જેવા દેવોની મૂર્તિઓ જોઈ શકો છો. ગર્ભગૃહના પ્રવેશદ્વાર પર ગંગા-યમુના દ્વારપાલ અને અન્ય શણગાર પણ છે. ગર્ભગૃહની વચ્ચે એક શિવલિંગ અને તોરણ પણ છે. તે ગુર્જરા ચાલુક્ય શૈલીનું પણ બનેલું છે.

error: Content is protected !!