આ વાસ્તુદોષ માતા લક્ષ્મીને કરે છે નારાજ, અમીર બની જાય છે ગરીબ.

આ નકારાત્મક ઉર્જાને જોઈને તમારા ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરતાં નથી. પછી આને લીધે તમે પૈસાની તકલીફ અનુભવો છો. એવામાં આજે અમે તમારા માટે કેટલીક એવી વાસ્તુ ટિપ્સ જણાવી રહ્યા છે જેને ફોલો કરો તમે તમારા ઘરના વાસ્તુ દોષને ખતમ કરી શકશો. આ સાથે માતા લક્ષ્મી તમારા ઘરમાં વધુ સમય માટે સ્થાયી થઈ જશે.

1. ઘરના મુખ્ય દરવાજાને હમેશા અંદરની બાજુ ખૂલે એવું રાખવું જોઈએ. આ દરવાજો ઉત્તર દિશામાં હોય તે ખૂબ શુભ માનવામાં આવે છે. તેનાથી સુખ, સમૃધ્ધિ અને સૌભાગ્ય મળે છે. તેનાથી ઊંધું જો ઘરનો દરવાજો બહારની તરફ ખૂલે છે અને જો તેની દિશા બરાબરના હોય તો નકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે. ઘરમાં આશાંતિ, દરિદ્રતા અને દુખ વધે છે. આ સિવાય દરવાજા પર ગંદકી હોય તો પણ માતા લક્ષ્મી ઘરમાં નથી આવતી. એટલે અહિયાં સાફ સફાઇ કરવી જરૂરી છે.

2. ઘરનું ફર્નીચર પણ વાસ્તુ અનુસાર રાખવું જોઈએ. દાખલ તરીકે, હળવા ફર્નિચરને ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું જોઈએ જ્યારે ભારે ફર્નિચર દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. આ સ્થિતિને શુભ માનવામાં આવે છે. જો ઉલટું કરવામાં આવે તો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. તો નકારાત્મક ઉર્જા વધે છે અને તમારા ઘરમાં મા લક્ષ્મીનો વાસ નથી થતો. બીજી એક વાતનું ધ્યાન રાખો કે ઘરમાં માત્ર લાકડાનું જ ફર્નિચર હોવું જોઈએ. પ્લાસ્ટિકના ફર્નિચરને શુભ માનવામાં આવતું નથી.

3. બહુ ઓછા લોકો જાણે છે કે તમારી છત પર મૂકેલી પાણીની ટાંકી પણ વાસ્તુ દોષનું કારણ બની શકે છે. આ તમારા પૈસા કમાવવામાં પણ અવરોધ લાવી શકે છે. આ વાસ્તુ દોષથી બચવા માટે પાણીની ટાંકી હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

4. ઘરમાં પૂજા સ્થળને લઈને પણ કેટલાક ખાસ વાસ્તુ નિયમ હોય છે. આ પ્રમાણે પૂજા સ્થળ હમેશા ઇશાનકોણમ હોવું જોઈએ. તમે જ્યારે પણ ભગવાનની પૂજા કરો તો તમારું મોઢું ઉત્તર-પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. આ સિવાય પૂજા સ્થાન પર ક્યારેય પિતૃઓનો ફોટો ના લગાવવો જોઈએ.

5. ઘરના રસોડા પર પણ ઘરની વાસ્તુની ઊંડી અસર પડે છે. આ રસોડું દક્ષિણ પૂર્વમાં હોવું જોઈએ. જ્યારે તમે ભોજન બનાવો છો ત્યારે તમારું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોવું જોઈએ. રસોડામાં આખી રાત એંઠા વાસણો ક્યારેય ન રાખો. રસોડામાં કચરો અને સાવરણી પણ ન રાખવી જોઈએ.

error: Content is protected !!