લગ્નની પ્રથમ રાતે જ કરિશ્મા કપૂરના પતિએ કરી દીધો હતો અભિનેત્રીનો સોદો

આજ રોજ અભિનેત્રી કરિશ્મા કપૂરનો જન્મ દિવસ છે અને હવે અભિનેત્રી ૪૭ વર્ષની કરિશ્મા કપૂર પોતાનો જન્મદિન ધામધુમથી મનાવી રહી છે, પણ એક સમય હતો જયારે અભિનેત્રીના પતિએ તેનો સોદો કરી દીધો હતો.

  • -અભિનેત્રી કરિશ્મા કપૂર દ્વારા કરવામાં આવ્યો ખુલાસો.
  • -પતિ દ્વારા કરી દેવામાં આવ્યો હતો સોદો.
  • -સાસુ પણ વારંવાર હાથ ઉપાડી રહી હતી.
  • પતિ હેરાન કરી રહ્યો હતો.
  • અભિનેત્રી કરિશ્મા કપૂરએ પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના પતિ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેનો પતિ તેને ખુબ જ હેરાન કરી રહ્યો હતો. તેમજ કરિશ્મા કપૂરનું લગ્નજીવન પણ કોઈ ખાસ વ્યવસ્થિત રહ્યું હતું નહી.

    અભિનેત્રી કરિશ્મા કપૂરનો કરી દીધો હતો સોદો.

    અભિનેત્રી કરિશ્મા કપૂરએ એક એવો મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું જેને સાંભળીને તમામ વ્યક્તિઓ આશ્ચર્ય પામી જશે. અભિનેત્રી કરિશ્મા કપૂરએ જણાવ્યું છે કે, લગ્ન બાદ જયારે અમે હનીમુન પર ગયા હતા તે સમયે સંજયે પોતાના મિત્રોની સાથે મારી કિમત લગાવી દીધી હતી અને સંજયે મને પોતાના મિત્રોની સાથે એક રાત પસાર કરવા માટે મજબુર કરી દેવામાં આવી હતી. પરંતુ જયારે મેં સંજયને આમ કરવાની ના પાડી ત્યારે સંજયે મારી સાથે મારઝૂડ કરવાની શરુ કરી દીધી હતી.

    વધુ જણાવતા અભિનેત્રી કરિશ્મા કપૂરએ કહ્યું છે કે, મારી સાથે લગ્ન કર્યા પછી પણ સંજયના પોતાની પ્રથમ પત્ની સાથે શારીરિક સંબંધ ધરાવી રહ્યા હતા. સંજય પોતાની પ્રથમ પત્ની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહી રહ્યા હતા. સૌથી વધારે ટોર્ચર તો ત્યારે મારી પર કરવામાં આવ્યું જયારે હું પહેલીવાર ગર્ભવતી થઈ હતી.

    શારીરિક શોષણ

    અભિનેત્રી કરિશ્મા કપૂરએ કહ્યું છે કે, જયારે ગર્ભવતી હતી તે સમયે સંજય અને તેમની માતા મારા માટે એક આઉટફિટ લાવ્યા હતા અને મને તે આઉટફિટ પહેરવા માટે કહેવામાં આવ્યું. પરંતુ ગર્ભાવસ્થાના લીધે તે આઉટફિટ મને ફિટ થયો નહી તો તેમણે મને થપ્પડ મારી દીધો અને મારું શારીરિક શોષણ પણ કરવામાં આવ્યું હતું.

    સાસુ કરી રહ્યા હતા મારઝૂડ.

    અભિનેત્રી કરિશ્મા કપૂર પોતાના ભૂતપૂર્વ પતિ સંજયની માતા વિષે જણાવતા કહ્યું છે કે, મારા સાસુનું વર્તન મારા પ્રત્યે સારું હતું નહી. તેઓ નાની નાની વાતે મારા પર હાથ ઉપાડી દેતા પણ અચકાતા નહી અને સંજયએ પોતાના નાના ભાઈને મારી પર નજર રાખવા માટે કહી દેતા હતા અને નાની નાની વાતે મારી પર ગુસ્સે થવાની સાથે મારઝૂડ પણ કરી રહ્યા હતા.

    વર્ષ ૨૦૦૩માં અભિનેત્રી કરિશ્મા કપૂરએ સંજયની સાથે લવ મેરેજ કરી લીધા હતા તેમ છતાં કરિશ્મા કપૂરના લવ મેરેજ સફળ થયા નહી અને વર્ષ ૨૦૧૨માં અભિનેત્રી કરિશ્મા કપૂરએ પોતાના લગ્ન તોડી નાખવાનો નિર્ણય કરી લીધો અને પરત મુંબઈ આવી જાય છે. વર્ષ ૨૦૧૬માં અભિનેત્રી કરિશ્મા કપૂરએ પોતાના પતિ સાથેથી ડિવોર્સ લઈ લીધા હતા.

    error: Content is protected !!