સપ્તાહમાં બે વખત ટૂથબ્રશને જરૂરથી સાફ કરવું, નહીં તો થઈ શકે છે ગંભીર બીમારી

ટૂથબ્રશ એટલે આપણા જીવનની એક અગત્યની જરુરની વસ્તુ. આપણે આવી નાની-નાની વસ્તુઓ પર ધ્યાન નથી આપતા, પણ ટૂથબ્રશની પણ ખાસ સફાઈ કરવી જોઈએ નહીં તો તે અનેક બીમારીઓ થઈ શકે છે. ખરાબ ટૂથબ્રશથી ડાયેરિયા અથવા સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે. આપણા વ્યસ્ત જીવનમાંથી થોડો સમય આવી બાબતોનું ધ્યાન રાખવામાં પણ કાઢવો જોઈએ. તેમજ તમે ટૂથબ્રશની જગ્યાએ દાતણનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી અનેક ફાયદા થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

ટૂથબ્રશ ક્યારે પલાળવું નહીં – મોટાભાગના લોકો દાંત સાફ કરતા પહેલા ટૂથબ્રશને પાણીમાં પલાળતા હોય છે. આમ કરવાથી ટૂથબ્રશના તાર પાતળા થઈ જાય છે. આનાથી દાંતને બ્રશ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. તેથી આવું ન કરવું જોઈએ. આમ ન કરવું કારણકે તેનાથી ટૂથબ્રશ પણ ખરાબ થઈ જાય છે અને દાંતની સફાઈ પણ બરાબર નથી થતી.

ટોઈલેટમાં ક્યારે ન રાખવો બ્રશ – કેટલાંક ઘરોમાં ટોઈલેટ, ટૂથબ્રશ મુક્યા હોય તે સિંક ઘણાં નજીક હોય છે. ટોઈલેટના જીવાણુઓ ટૂથબ્રશ સુધી પહોંચી શકે છે. માટે પ્રયત્ન કરો કે બ્રશ કમોડથી ઓછામાં ઓછા 2 ફૂટ દુર હોય. ટૂથબ્રશ હોલ્ડરને એક અઠવાડિયામાં બે વખત સાફ કરવા જોઈએ.

બ્રશને ક્યારે પણ પેકેટમાં ન રાખવું – આજકાલ માર્કેટમાં બ્રશને કવર કરવા માટે બોક્સ મળે છે. પરંતુ બ્રશને બંધ કરવા યોગ્ય નથી. આનાથી તમારા બ્રશમાં કીટાણુની સંખ્યા વધે છે. ટૂથબ્રશનો ઉપયોગ કર્યા પછી તેને ઉભું રાખો. તેનાથી બ્રશ પર જમા થયેલું પાણી નીચે નીકળી જાય છે અને બ્રશ સુકાઈ જાય છે.

અલગ અલગ બ્રશ રાખવા- મોટાભાગના ઘરમાં એક જ જગ્યાએ બધાનાં બ્રશ મુકવામાં આવે છે. એવું માનવામાં આવે છે આવું કરવાથી એક ટૂથબ્રશના બેક્ટેરિયા સરળતાથી અન્ય ટૂથબ્રશમાં જતા રહે છે. માટે દરેકના ટૂથબ્રશ અલગ અલગ રાખવા જોઈએ.

હંમેશા બ્રશ સ્વચ્છ રાખવું – એવું કહેવામાં આવે છે કે 3 મહિના પછી ટૂથબ્રશ બદલી કાઢવું જોઈએ. લાંબો સમય સુધી એકનું એક બ્રશ ન વાપરુ જોઈએ. જો કોઈ લાંબી બીમારીમાંથી બહાર આવ્યા હોવ તો પણ બ્રશ બદલી કાઢો.

તેમજ આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું – બ્રશને હવામાં સુકાવો, તેનાથી ફુગ નહીં થાય. તેમજ બ્રશની ગંદકી સાફ કરવા માટે તેને ઉકળતા પાણીમાં 5 મિનિટ રાખો. તે સિવાય એક ગ્લાસમાં બેકિંગ સોડા અને થોડું પાણી નાખીને તેમાં બ્રશનો પીંછા વાળો ભાગ થોડી વાર માટે પલાળો. બે મિનિટથી વધારે બ્રશ ન કરો, આનાથી દાંતનું ઈનેમલ ખરાબ થઈ જાય છે. ટૂથબ્રશ કરવાની યોગ્ય રીત છે, દાંત પર ઉપરથી નીચે અને નીચેથી ઉપરની તરફ લઈ જાઓ. ટૂથબ્રશની જગ્યાએ તમે દાતણનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી અનેક ફાયદા થાય છે. તેના ફાયદા જાણીને ટૂથબ્રશને પણ ભૂલી જશો.

આયુર્વેદમાં વિશેષ મહત્વ- આયુર્વેદની દંતધાવન વિધિમાં વિવિધ ઝાડની લાકડીઓનો દાતણ તરીકે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે આખી રાત સુઈ રહેવાને કારણે મોઢામાં કફ જમા થઈ જાય છે. માટે શાસ્ત્રોમાં કફનો નાશ કરવા માટે દાતણનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.

કઈ રીતે ઉપયોગ કરવો – દાતણને ઉપરના દાંતમાં ઉપરથી નીચે અને નીચેના દાંતમાં નીચેથી ઉપરના ડિરેક્શનમાં કરવું જોઈએ. આનાથી પાયોરિયાની સમસ્યા નહીં થાય અને પેઢા મજબૂત થશે. બોરના દાતણથી નિયમિત દાંત સાફ કરવાથી અવાજ સ્પષ્ટ અને મધુર બને છે. જે લોકો સંગીત અને ગીતના ક્ષેત્રમાં રસ ધરાવે છે, તેમણે બોરના દાતણનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.

તે સિવાય લીમડાનું દાતણ માત્ર દાંત જ સ્વસ્થ નથી રાખતું, પાચનક્રિયા પણ નિયમિત થાય છે અને ચેહરા પર પણ ગ્લો આવે છે. આ જ કારણે આજે પણ ઘણાં લોકો નિયમિતપણે લીમડાનું દાતણ કરે છે. બાવળના દાતણથી દાંત તો ચમકે જ છે, સાથે બોદ્ધિક ક્ષમતા અને સ્મરણ શક્તિ પણ વધારે છે. પેઢા અને દાંતની મજબૂતી માટે બાવળના દાતણથી દાંત સાફ કરવા જોઈએ.

error: Content is protected !!