‘કપડાં કાઢ અને ડાન્સ કર..’ પ્રિયંકા સાથે ફેમસ ડાયરેક્ટરે કર્યું એવું.

બૉલીવુડથી હોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા એ પોતાના અભિનય અને સુંદરતાથી એક ખૂબ સારા મુકામ પર પહોંચી છે. આજે પ્રિયંકા આખા દેશમાં જ નાહી પણ દુનિયામાં પ્રખ્યાત છે. તેના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ખૂબ આતુર રહે છે.

બૉલીવુડમાં તો પ્રિયંકા ચોપડા એ ખૂબ નામ બનાવ્યું છે પછી હોલીવુડમાં પણ પ્રિયંકાએ બહુ સારું કામ કર્યું છે. પ્રિયંકા એ અહિયાં સુધી પહોંચવા માટે ખૂબ મહેનત અને અનેક સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. તેણે એવા પણ દિવસો જોયા હતા કે તેને ફિલ્મોમાંથી બહાર કાઢી મૂકવામાં આવતી હતી. એટલું જ નાહી ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટરે તેની સાથે ખરાબ વર્તન પણ કર્યું હતું. આ વાતનો ખુલાસો પ્રિયંકાએ કર્યો હતો. ચાલો તમને જણાવીએ રસપ્રદ માહિતી.

સૌથી પહેલા અમે તમને જણાવવા માંગીએ છીએ કે તાજેતરમાં જ પ્રિયંકા ચોપરાએ તેના પતિ નિક જોનાસ સાથે હોળીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ શેર કરી હતી જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. પ્રિયંકા તેના પતિ નિક જોનાસ સાથે અમેરિકામાં ખૂબ જ મસ્તીભરી રીતે હોળી રમતી જોવા મળી હતી.

હવે આ દરમિયાન, પ્રિયંકા ચોપરાનો એક જૂનો ઇન્ટરવ્યુ ખૂબ ચર્ચાનો વિષય બની રહ્યો છે જેમાં પ્રિયંકા ચોપરાએ તેની સાથે થયેલા ગેરવર્તણૂક વિશે ખુલાસો કર્યો હતો. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, તેની કારકિર્દીની શરૂઆતમાં ઘણા ફિલ્મ મેકર્સે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું.

તેને આજે પણ એ વાતનો પસ્તાવો છે કે તે એ સમયે આવા લોકો વિરુધ્ધ કશું બોલી શકી હતી નાહી. જો કે પ્રિયંકાએ ડાયરેક્ટરનું નામ નહોતું જણાવ્યું. તેણે જણાવ્યું હતું કે આ રીતની ડિમાન્ડ આવ્યા પછી પ્રિયંકાએ બીજા જ દિવસે ફિલ્મ છોડી દીધી હતી. નિર્દેશક ફિલ્મના સેટ પર કહ્યું હતું કે તે પોતાના કપડાં કાઢે અને અંડરવિયરમાં એક હોટ ડાન્સ કરે.

પ્રિયંકા ચોપરાના જણાવે છે કે, “જ્યારે હું 9 વર્ષની હતી ત્યારે મારી માતાએ મને કહ્યું હતું કે તમે જીવનમાં જે પણ કરશો, તમે આર્થિક રીતે તમારા પર નિર્ભર રહેશો. મને કહેવામાં આવ્યું કે દરેક જગ્યાએ તમારો અભિપ્રાય હોવો જોઈએ. મને હંમેશા મારો અવાજ ઊંચો રાખવાની પ્રેરણા મળી છે. મને એ વાતનો અફસોસ છે કે તે ઘટના દરમિયાન આ ફિલ્મ નિર્દેશકને કંઈ કહી શકી નહીં. હું ખૂબ ડરી ગઈ હતી. હું મનોરંજન વ્યવસાયમાં નવી હતી.”

આ સિવાય પ્રિયંકાએ કહ્યું હતું કેમ ‘મને સિસ્ટમમાં રહીને કામ કરવા પર પસ્તાવો છે કે હું ક્યારેય ઊભી રહીને તેને સામે થઈને કહી શકી નાહી કે તે ખોટો છે. કેમ કે હું ડરી ગઈ હતી અને મને ડીલ કરવાની આ રીત પસંદ આવી હતી નાહી. ત્યાંથી છૂટવા માટે મને એક જ રસ્તો દેખાતો હતો કે તેનાથી અલગ થઈ જવું.’

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન જયપુરના ઉમેદ ભવનમાં ખૂબ જ શાહી અંદાજમાં થયા હતા. પ્રિયંકાએ હિંદુ રીતિ-રિવાજોની સાથે સાથે ક્રિશ્ચિયન રીતિ-રિવાજો સાથે લગ્ન કર્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતી. હાલમાં જ નિક અને પ્રિયંકા એક પુત્રીના માતા-પિતા બન્યા છે.

error: Content is protected !!